Showing posts with label maru sarjam muktak. Show all posts
Showing posts with label maru sarjam muktak. Show all posts

17 September, 2008

તારો ચહેરો..

ભલે જાય તુ દુર મારાથી,
તને મનમાં કે સજા મને થશે?
પણ ભુલે છે સનમ તું એક વાત,
તડપીશ તું પણ, નહીં માત્ર હું જ આખી રાત,
હવે પુછીશ ના કે "કેવી રીતે?",
તને ક્યાં ક્યાં નહીં કરુ યાદ?

દુર પ્યાસી ધરાને ચુમવા નમતા પેલા આસમાનના ખૂણે ચમકતો
તારો ચહેરો,
માસુમ કળીને ખીલવવા, અકળાવવા, અચાનક વરસતા વરસાદમાં શરારતી
તારો ચહેરો,
મીટ માંડીને બેઠેલી ચકોરી સામે જોઇને મદહોશ કરતા ચન્દ્રમાં મોહક સ્મિત કરતો તારો ચહેરો,
કોઇ સાંજે મારા કપાળ પરની અછુતી અલકલટને સ્પર્શવા અધિર સમીરમા સ્પષ્ટ થતો તારો ચહેરો,
અને છેલ્લે ....,
મારા જ દિલમાં, ને મારા જ વિરહમાં
પરાણે દુઃખી થતો ગમગીન તારો ચહેરો,
કહે સજન કહે , હવે તુ જ કહે,
આપી સજા કોણે અને મળી કોને?
તુ તો રહેલો છુ કાયમ મારામાં જ,
આમ દુર ગયે જુદા શેં થવાય?
નમ્રતા

15 September, 2008

મારે જાવુ પેલે પાર

મારે જાવુ પેલે પાર,
જ્યાંની કાળાશ અને ભયાનકતા મેં ખુબ સાંભળી છે,
જ્યાં "જીવન" નામનુ નાટક પુરુ થયા પછી જવાય છે,
જ્યાં કેટલાયે જનમોજુની ગુફામાં વિસ્મ્રુતીના જાળાઓએ આડેધડ જાળા બનાવ્યા હશે,
.......મારે તોડવા છે તે જાળાઓ
અને વિહરવુ છે ત્યાં પામવા વાસ્તવિકતાને.
શું આ શક્ય છે?
કદાચ હા
કદાચ ના
કદાચ.....
નમ્રતા

13 September, 2008

"સ્વ"

ખબર નહીં કેમ ,
પણ ...... આ આંસુ, અકળામણ, દુઃખ મને મારા લાગે છે.
અને ત્યાં જ હું મારા 'સ્વ"ના ટોળેટોળાને મળુ છુ.
મારા 'સ્વ"ના અસ્તિત્વનો અહેસાસ મને ત્યાં થાય છે.
મારા 'સ્વ"ને તેમનામા એકાકાર થતો હું જોઇ શકુ છુ
મારો 'સ્વ" પણ ત્યાં જ તેનુ અસ્તિત્વ અનુભવે છે,
જાણે મારો 'સ્વ" અને સર્વ નિષેધક લાગણીઓ, કદાચ એકબીજા માટે જ બન્યા છે,
પણ હસતા પુષ્પો, વહેલી પરોઢના શબનમ,
હસતા ચહેરા, ગાતી દિશાઓ કે ગાતા પંખી મને મારા નથી લાગ્યા,
અરે ત્યાં તો મારો "સ્વ્" ખોવાઇ જાય છે
ત્યાં કોઇ એકાદ ખુણે એકલદોકલ "સ્વ"ને મ્રુતપ્રાય જોઉ છુ,
જાણે મારો 'સ્વ" આ બધાથી અકળાઇ જાય છે,
ત્યાં જાણે તેનુ સ્વત્વ ખોવાઇ જાય છે
અરે પોતાના 'સ્વ'થી અજાણ્યો બની જઇને,
ચારે બાજુ અથડાય છે, કુટાય છે, ઘાયલ થાય છે,
હસતા ફુલ કે ગાતા પંખીનો અવાજ તેને વાગે છે,
જાણે આ વિધેયક લાગણીઓ તેને ફાવતી નથી.
શુ કરુ હું કે શૂ કરે બિચારો મારો નાનકડો "સ્વ"?
તે ઓળખતો જ નથી આનંદ કે હર્ષની લાગણી ને.
તે બધા એને નવા નવા અને પરાયા શા માટે લાગે છે?
કોણ જાણે કેમ તેને પોતાની લાગે છે માત્ર વેદના,
કર્ણપ્રિય લાગે છે માત્ર મૌન અને દુખ ના આર્તનાદો,
પ્રિય લાગે છે ઉદાસી અને યાતના ના કરુણ પોકારો
૨૪-૪-૯૦
નમ્રતા