17 September, 2008

શાની અધીરાઈ

જરા આવીને એક વાર જો ઓ નિષ્ઠુર સજન,
શું હતી હું, ને શું કરી નાખી તેં મને?

કેમ મધરાતે અચાનક ઝબકી જાઉ છુ?
શું સપનામા તું આવીને મને કનડે છે?

કેટલો સમય થયો આપણને જુદા થયે,
તને તો નહીં હોય યાદ, મારે વર્ષો થઈ ગયા,

નજર મારી પળેપળે દોડી જાય છે રસ્તા પર,
જોકે મને પણ હોય છે ખબર, તે તુ નહીં હોય.

છતા એક જ "એષ",
કે કદાચ...,
કદાચ તુ હોય...
કેમ? કેમ અચાનક જુદાઇ આવી ગઈ આપણી વચ્ચે?

કેવી વ્યર્થ બની રહી છે જીંદગી આ મારી,
કે જીવવામા આમ તો કોઇ ખાસ મજા નથી રહી.

પણ તે તમન્ના સાથે જીંદગીને ગળે લગાવુ છુ,
જીંદગીની કોઇ ક્ષણે તો તુ મને મળીશ જ ને?


નમ્રતા

2 comments:

Krishna The Universal Truth.. said...

prem ma ej to khashiyat che....ene pamvani asha kyarey nathi jati....bas fakt prem jato rahe che...

. said...

saras abhivyakti chhe....